અમદાવાદના ચંડોળા તળાવ ફેઝ 2માં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ હટાવાયું
Live TV
-
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કામગીરીના બીજા દિવસે પણ યથાવત રહી છે. સવારથી આ વિસ્તારમાં ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા છે.
ચંડોળા તળાવ ફેઝ-2 ડિમોલિશન આગામી થોડા દિવસો સુધી ચાલશે. AMC અને પોલીસની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે.ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની લગભગ 99.99 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.હવે કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવશે. જે આગામી 15-20 દિવસ સુધી ચાલશે.ફેઝ 1માં 1.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું. જ્યારે ફેઝ 2માં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરાયું છે. કૂલ 15 હજાર જેટલા ગેરકાયદે કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી.