ગુજરાતના અતિ પછાત અને છેવાડાના આદિમજૂથોના સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ વહિવટી સુધારો કર્યો છે. મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ બિન-આદિજાતિ ધરાવતા ચાર જિલ્લાઓ—અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હવે યોજનાકીય કામગીરીના સંકલન અને અમલીકરણ માટે આદિજાતિ વિભાગના જ વર્ગ-1ના અધિકારીઓને સભ્ય સચિવ તરીકેની સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
તેલના ભાવમાં વધારો અને USમાં વ્યાજ દરમાં વધારાની આશંકાથી જોખમની ભાવના નબળી પડતાં તેની અસર શેરબજાર પર જોવા મળી અને શેરબજાર લાલ રંગ સાથે ખૂલ્યું...
નર્મદા જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે 'ધન્વંતરિ આરોગ્ય રથ યોજના' બની આશીર્વાદરૂપ
ગુજરાતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 'નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026' માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજકોસ્ટ ગુજરાત રાજ્યમાં કો-ઓર્ડિનેટર તરીકે ઉત્સાહપૂર્વક આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને તેના વ્યવહારુ અને ટકાઉ ઉકેલો રજૂ કરવાની અનોખી તક પૂરી પાડે છે.