અમદાવાદમાં જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જળયાત્રા, એક મહત્વપૂર્ણ અને પૌરાણિક પરંપરા
Live TV
-
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે. આજે અમદાવાદમાં જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી છે.
યાત્રા સાબરમતી નદી કિનારે પહોંચી છે અને ગંગા પૂજન શરૂ કરવામાં આવ્યું છે. જે બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ દ્વારા સાબરમતી નદીના મધ્યમાંથી કળશમાં જળ ભરવામાં આવશે.બપોર બાદ ભગવાનને મોસાળ સરસપુર લઇ જવાશે. 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે.
ભગવાનને આવકારવા ભક્તોમાં થગગનાટ
બુધવારે 11 જૂને જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા-સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચુકી છે અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે. વહેલી સવારે 8 વાગ્યે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી. આ શોભાયાત્રામાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના પૂજન કરવા નીકળ્યા છે.
મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન
સવારે 8:30 વાગ્યે ગંગાપૂજન વિધિ કરવામાં આવી હતી. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના પણ કરવામાં આવ્યો હતો.
જળયાત્રાનું મહત્ત્વ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા એક મહત્વપૂર્ણ અને પૌરાણિક પરંપરા ધરાવતો ધાર્મિક પ્રસંગ છે. આ યાત્રાનું ખાસ મહત્તવ છે. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની યાત્રા નદી કે સરોવર તરફ જતી હોય છે, જેને "જળયાત્રા" કહેવામાં આવે છે. હિંદૂ માન્યતા પ્રમાણે, આ જળસ્નાન ભગવાન માટે પવિત્રતા, શુદ્ધિ અને તાજગી લાવવાનું પ્રતિક છે. ભગવાનને પવિત્ર જળમાં સ્નાન કરાવી આર્શીવાદ લેવામા આવે છે.
નદીનું પવિત્ર જળ લાવી કરાવાશે સ્નાન
ભગવાનનું આ સ્નાન (સ્નાન યાત્રા) એક પ્રકારની પૂર્વતૈયારી હોય છે, જ્યાં મંદિરના દૈવિત પાત્રો બહાર આવે છે. આ યાત્રામાં હજારો ભાવિકો જોડાય છે અને વિવિધ ભજન, કીર્તન, અને શોભાયાત્રા દ્વારા લોકસંસ્કૃતિ જીવંત બને છે. ભગવાનને પાણીમાં લઇ જવા પૃથ્વી, જળ અને દૈવી શક્તિઓનો સમન્વય દર્શાવે છે. જળયાત્રા એક પ્રકારનો કુદરતી તત્વ સાથે ભગવાનનો મેળાપ દર્શાવે છે, જે હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આજે અમદાવાદમાં જગન્નાથ મંદિરથી હાથી-ઘોડા સાથે 108 કળશ સાથે જળયાત્રાની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં લોકો નાચગાન કરી ભક્તિનો આનંદ લેશે.