અમદાવાદમાં યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
રક્ષાબંધનના પર્વ પર બ્રાહ્મણો જનોઈ બદલે છે
આજે ભાઈ બહેનના સ્નેહનાપવિત્ર તહેવાર રક્ષાબંધનની સાથે સાથે ...જનોઇ ધારણ કરવાનો પવિત્ર દિવસ ...યજ્ઞોપવિત... પણ છે..આજના દિવસે સનાતન ધર્મમાં બ્રાહ્મણો દ્વારા પરિવારના બાળકોને નવી જનોઇ ધારણ કરવાની સંસ્કાર વિધિ પણ કરવામાં આવે છે. તો બ્રાહ્મણો જૂની જનોઈ બદલીને નવી જનોઈ પણ ધારણ કરે છે. જેને યજ્ઞોપવિત સંસ્કાર કહેવામાં આવે છે.પ્રાચીન સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પણ સાંદિપની ર્ઋષિના આશ્રમમાં વિદ્યાઅભ્યાસ કરવા માટે ગયા હતા ત્યારે જનોઇ ધારણ કરી "વેદાધ્યાયનની" શરૂઆત કરી હતી.. આમ....વેદાધ્યાયનના અભ્યાસ અધિકાર માટે નિર્ધારિત નિયમો સાથે જનોઇ ધારણ કરવાની વધિ કરવામાં આવે છે તેમ સમસ્ત બ્રહમ સમાજના અધ્યક્ષ શ્રી અનિલ શુકલાએ જણાવ્યું હતું... જોકે હાલ કોરોનાની મહામારીને લઈને બ્રાહ્મણ પરિવારો દ્વારા પોતાના ઘરે જ મર્યાદિત સંખ્યામાં ...વેદોક્ત વિધિનુસાર આ યજ્ઞોપવિતની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે વેદના વિધી વિધાન અનુસાર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જનોઈ બદલવાનો યજ્ઞોપવિત સંસ્કાર યોજવામાં આવ્યા હતા.તેમજ સમગ્ર વિશ્વમાંથી કોરોનાની મહામારીનો જલ્દીથી અંત આવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.