અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા
Live TV
-
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ વ્યક્તિના મોતના કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે.
ગત 20 જુલાઈના રોજ મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા હતા, બાદમાં પ્રજ્ઞેશ પટેલે તથ્યને બચાવવા ઘટનાસ્થળ પર લોકોને ધમકી આપી હતી. તે કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. આજે 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા છે.
