અમદાવાદ :ભગવાન જગ્ન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ
Live TV
-
અમદાવાદમાં ભગવાન જગ્ન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
જેની ભાગ રૂપે રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા 100 ઉપરાંતના બુલેટ બાઇક સાથે માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રાત્રીએ ૧૦:૩૦ વાગે ઝોન ૩ જમાલપુર ખાડિયા શાહપુર અંતર્ગત ના પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા બુલેટ માર્ચ કરવામાં આવી હતી.સેક્ટર 1 જેસીપી અને જગન્નાથ મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચ શરૂ કરાવવામાં આવી હતી જેમાં 100 જેટલા બુલેટ બાઈક પર પોલીસ જવાનોએ રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં પોલીસ જવાનો સહિત મંદિર ના ટ્રસ્ટીઓ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ એ હાજરી આપી હતી. બુલેટ માર્ચ જગન્નાથ મંદિરથી નીકળી રથયાત્રાના રૂટ ઉપર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ફરી જગન્નાથજી મંદિર ખાતે પરત ફરી હતી