અમરેલી : રાદડિયા ગામમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું
Live TV
-
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ખીજડીયા રાદડિયા ગામ માં આગેવાનો, ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ મનિષ સાંગાણી, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વનરાજસિંહ કોઠીવાલ , કિશોર કાનપરિયા પ્રમુખ તાલુકા પંચાયત અમરેલી, ચેતન ધાનાણી નોડલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, દિલિપ સાવલિયા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અમરેલી, ડી એચ પંડ્યા તાલુકા વિકાસ અધિકારી અને અમરેલી શહેરના પદાધિકારીઓ, ગામના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારિઓ અને આગેવાનોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીને વિવિધ યોજનાઓના લાભો લઈ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ માં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ખાસ કરીને ગામની બહેનોને ઉજ્જવલા યોજના હેઠળ ગેસની કિટ, આયુષ્યમાન કાર્ડ, કિશોરીઓને પોષ્ટિક આહાર, કુપોષિત બાળકોને સ્વાસ્થ્ય કિટ, ધાત્રી બહેનોને સહાય આપવામાં આવી.