આજે ચૈત્રી સુદ પૂર્ણિમા, પૂનમ હોવાથી અંબાજી મંદિરે શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપુર
Live TV
-
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી.
સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ મંગળા આરતીના દર્શન કર્યા. જેમ ભાદરવી પૂનમે ભક્તો અંબાજી મંદિરમાં ઉમટી પડે છે તેવી જ રીતે ચૈત્રી પૂનમે ભક્તો ઉમટી પડ્યા હતા.
મહત્તમ શ્રદ્ધાળુઓ ચૈત્રી પૂનમે પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી મા અંબાજી મંદિરે પહોંચે છે. આ ચૈત્રી પૂનમને બાધાની પૂનમ પણ માનવામાં આવે છે. અંબાજી મંદિરનું ચાચરચોક લાલ ધજા પતાકાઓથી ભરચક જોવા મળ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓ નાની-મોટી ધજા લઇ મા અંબાના મંદિરે પહોંચ્યા હતા અને ગરબે રમતા જોવા મળ્યાં હતા.