કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન, સવારે 11 કલાકે અંતિમયાત્રા નીકળશે
Live TV
-
કડી તાલુકાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, MLA કરશનભાઈ સોલંકી લાંબા સમયથી બીમાર હતા.
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને 10.30 કલાક સુધી અંતિમ દર્શન કરી શકાશે. 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.
મહેસાણાના કડી તાલુકાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. MLA કરશનભાઈ સોલંકી લાંબા સમયથી બીમાર હતા. 2017 અને 2022માં ચૂંટણીમાં જંગી મતોથી જીત મેળવી હતી. 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે.
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે... તેઓ બીજી વાર કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા... તેમણે સામાન્ય કાર્યકર્તાથી ધરાસભ્ય સુધીની રાજકીય સફર ખેડી છે.... તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા હતા.... તેમણે હંમેશા સરકારી બસનો ઉપયોગ કરીને વિધાનસભા જવાનું પસંદ કર્યું અને પોતાના મત વિસ્તારના દરેક વ્યક્તિ સાથે સરળતાથી અને દિલથી મળતા હતા...તેમના નિવાસ સ્થાને 10.30 કલાક સુધી અંતિમ દર્શન કરી શકાશે... 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે...