કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો
Live TV
-
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-1,ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો.કૃષિ મંત્રી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રીએ ચાર્જ સંભાળ્યો તે વેળાએ વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
