કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મેહસાણામાં સૈનિક સ્કૂલનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કર્યો
Live TV
-
મેહસાણામાં ખોલવામાં આવેલ આ સૈનિક સ્કૂલ માત્ર ઉત્તર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના બાળકો માટે સેનામાં જોડાવા માટેનો સરળ અને સુલભ માર્ગ બની જશે.જાહેર જીવનમાં આદર્શ કાર્યકર કેવો હોય છે, જમીની સ્તરે તેમનું વ્યક્તિત્વ કેવું હોય છે. મોતીભાઈ આર.ચૌધરીજીએ ગાંધીનગરના પશુપાલકો અને ખાસ કરીને ચૌધરી સમાજની બહેનો માટે આજીવિકાનું સાધન બનાવીને આ દૂધસાગર ડેરીનું નામ સાર્થક કર્યું છે.
છેલ્લા 9 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે માત્ર દેશને સુરક્ષિત અને વિકસિત બનાવ્યો નથી, પરંતુ વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. નાનામાં નાની વ્યક્તિને પણ સહકારી ચળવળ સાથે જોડીને તેને દેશના વિકાસ સાથે જોડવાનું અને તેનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. વિવિધ સહકારી મંડળીઓથી સહકારી ક્ષેત્રે સંકળાયેલા લોકોના વિકાસથી ભારત આર્થિક સમૃદ્ધિના શ્રેષ્ઠ મોડલ તરીકે દુનિયાભરમાં ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે ભારતની સીમાઓ અખંડ રહી છે તેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને જાય છે.
પ્રધાનમંત્રી મોદી સહકારી સંસ્થાઓ, કોર્પોરેટ વર્ગના લોકો અને NGO વગેરેને લઈને દેશને મોટા પાયે આગળ લઈ જવા માટે કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી પીપીપી મોડલ પર દેશમાં 100 સૈનિક શાળાઓ હોવાનો કોલ આપ્યો હતો અને આજે નરેન્દ્ર મોદીના આહ્વાનને પગલે અહીં 20મી સૈનિક શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સાગર સૈનિક સ્કૂલ મહેસાણા ખાતે નિર્મિત થઈ રહી છે એ મહેસાણા માટે ગૌરવની વાત છે. ભવ્ય મકાન, ભવ્ય સગવડોથી ભવ્ય વિદ્યાર્થીઓ નિર્મિત થશે અને એના થકી રાષ્ટ્ર ભાવના પ્રબળ બનશે. દૂધ સાગર ડેરીના દ્વારા આ સૈનિક સ્કૂલ બનાવવામાં આવી રહી છે એ માટે દૂધ સાગર ડેરી અભિનંદનને પાત્ર છે.