કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલનું ૪ જુલાઈએ ખાતમુહૂર્ત
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે 4 જુલાઈના રોજ મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહેશે.
મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી 11 કી.મી. દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. જે સમગ્ર ભારતમાં પ્રથમ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ હશે.
દૂધ સાગર ડેરીની એજન્સી, દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (DURDA) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. ભારત સરકાર રક્ષા મંત્રાલય દ્વારા 2 ઓગસ્ટ 2022ના રોજ સૈનિક સ્કુલ માટે પરવાનગી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ 6 માં 46 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થીનીઓ એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જયારે વર્ષ 2023-24ના એકેડેમિક વર્ષમાં એડમિશન સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે .જેમાં 10 ટકા સીટ વિદ્યાર્થીનીઓ માટે આરક્ષિત કરવામાં આવી છે. ધોરણ 6માં 51 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થીનીઓ એમ કુલ 55 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હાલમાં આ વિદ્યાર્થીઓ દૂધ સાગર ડેરી સ્થિત MIDFT (માનસિંહભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી) ખાતે અભ્યાસ કરી રહ્યા છે.