Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની 14 સરકારી હોસ્પિટલોમાં દર્દીના સગાં-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવાશે

Live TV

X
  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની 14 સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગાં-સંબંધીઓ માટે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડતા વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે.

    પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્વજનોની સારવાર માટે દૂરના ગામો અને શહેરોમાંથી સરકારી જનરલ/સિવિલ હોસ્પિટલ ખાતે આવતા સગાં-સંબંધીઓ માટે રહેવા અને જમવાની સુવિધાઓ ધરાવતા વિશ્રામગૃહ તૈયાર કરાશે.

    આ વિશ્રામગૃહો બનાવવા માટે અમદાવાદ સ્થિત સેવાદાન ફાઉન્ડેશનને હોસ્પિટલ પરિસરમાં આવેલી જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીશ્રીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે.પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા રાજ્યની કુલ 14 જેટલી સરકારી સિવિલ અને જનરલ હોસ્પિટલો ખાતે આ રેન બસેરા-વિશ્રામગૃહનું નિર્માણ અને સંચાલન કરવામાં આવશે.
    આ નિર્ણયને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલોમાં રોકાવવું પડતું હોય તેવા દર્દીઓના સગાં-સંબંધીઓને મોટી રાહત મળશે અને તેમને આવાસ તેમજ ભોજનની પાયાની જરૂરિયાતો માટે ભટકવું નહીં પડે.મુખ્યમંત્રીનો આ નિર્ણય જનસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સંવેદનશીલ અભિગમને દર્શાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply