ગુજરાતની 289 સરકારી ITIમાં વૃક્ષારોપણ અભિયાન: 10 હજારથી વધુ રોપાઓનું વાવેતર
Live TV
-
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિભાગના સહયોગથી રાજ્યની તમામ સરકારી ITI ખાતે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિના હેતુથી રાજ્યભરની 289 સરકારી ITI સંસ્થાઓમાં અંદાજે 10 હજારથી વધુ રોપાઓનું વાવેતર કરાયું છે.ગાંધીનગર ITI ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવાળીયાએ સ્વહસ્તે વૃક્ષારોપણ કર્યું હતું.વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું અનિવાર્ય છે. યુવાનોએ કૌશલ્યની સાથે પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારી પણ સમજીને વૃક્ષોના ઉછેર માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
