ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં મળે, આ કારણે લેવાયો નિર્ણય
Live TV
-
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં મળે. વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી જાણ કરી છે. કોંગ્રેસ તરફથી વિધાનસભામાં વિપક્ષનું પદ આપવા અધ્યક્ષ સમક્ષ અરજી કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી કોંગ્રેસની અરજી ફગાવી દેવામાં આવી છે. કેમ કે, કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી હોવાથી નિયમ મુજબ વિરોધ પક્ષનું પદ ન મળી શકે.
કોંગ્રેસ તરફથી પદનામિત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને પત્રમાં જણાવ્યું છે કે, વિધાનસભા નિયમોના નિયમ 56 હેઠળ અધ્યક્ષે વખતો વખત આપેલા આદેશ ક્રમાંક 30(01)ની જોગવાઈ મુજબ જે રાજકીય પક્ષની ચૂંટણી પંચે રાજ્યના પક્ષ તરીકે માન્યતા આપી છે. તેમજ વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના 1/10 કરતાં ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભા પક્ષ તરીકે માન્યતા આપી શકશે. 15મી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/10 કરતાં ઓછું છે જેથી વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષને માન્યતા આપવામાં આવી નથી.