ગૃહમંત્રી અમિત શાહ "વિશ્વાસ" પ્રોજેક્ટનું મહાત્મા મંદિરથી લોકાર્પણ કરશે
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ રાજ્યના ગૃહ વિભાગના અતિ મહત્વના પ્રોજેક્ટ એવા "વિશ્વાસ" પ્રોજેક્ટનું મહાત્મા મંદિરથી લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી GTUના નવમા પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપશે. અને ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ કમાન્ડિંગ કંટ્રોલ સ્ટેશનની મુલાકાત લેશે અને નારણપુરામાં ભાજપના કાર્યકરોને મળીને તેમની સાથે વાતચીત કરશે. આ અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ વધુ વિગતો આપી હતી
