છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં દેવ દિવાળીનુ મહત્વ
Live TV
-
આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તાર માં દિવાળી કરતાં દેવ દિવાળી નું સવિશેષ મહત્વ રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તાર સહીત કવાંટ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ બુધવારે ચૌદશના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. તો ગુરુવારે ગામના દેવી દેવતાઓનું પૂજન કરી, દિવાળીનુ નિમંત્રણ આપવામાં આવે છે અને રાત્રીના સમયે નવા ધાનની વાનગીઓ સહીત મગફળી, જુવાર મકાઈ જેવા પાકને તાપણામાં શેકવામાં આવે છે.જે આગમાં કુદકા મારી પસાર થયેલો અને શેકેલો પાક આરોગી, સગા સંબંધીઓ સાથે આતાસબાજી કરી પ્રકૃતિ પુંજા સાથે દિવાળી નો તહેવાર આસ્થા, ઉમંગ અને ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવે છે.
