જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ ,માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Live TV
-
દરિયો તોફાની બની શકે તેવી શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્ર માટે એલર્ટ જાહેર કર્યું છે.
સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયો તોફાની બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.જાફરાબાદ ફિશરીજ અધિકારી કિશોર સિકોતેરિયાના જણાવ્યા મુજબ, તમામ બોટ જાફરાબાદ બંદર પર પરત ફરી ગઈ છે. આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી ગઈ છે.