જામનગર : ગતરાત્રીએ ભુકંપના 4 આંચકા અનુભવાયા, 3 આંચકાનું કેન્દ્રબિંદુ જામનગરથી 29 કિલોમીટર દૂર
Live TV
-
જામનગર જિલ્લામાં ગત મોડી રાત્રીએ ભુકંપના ચાર હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ આંચકા 2.2, 2.7, 2.4 અને 2.2ની તિવ્રતા હતા. જે પૈકી ત્રણ આંચકાનું કેન્દ્ર બિંદુ જામનગરથી 29 કિલોમીટર દૂર અને એક ભૂકંપના આંચકાનુ કેન્દ્રબિંદુ લાલપુરથી 29 કિલોમીટર દૂર હતું. વરસાદની સિઝન સાથે જામનગર ગ્રામ્ય પંથકમાં જુની ફોલ્ટ લાઈન સક્રિય થતા આ આંચકા અનુભવાયા હતા.
