દૂધાળા ખાતે 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે 75 ગાયનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
દૂધાળા ખાતે 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે 75 ગાયનું દાન આપવાનો કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી અભિયાન વેગવાન બની રહ્યું છે અને ગુજરાતના અઢી લાખથી વધુ ખેડૂતો આ અભિયાનમાં જોડાયા છે. અમરેલી જિલ્લામાં દૂધાળા ખાતે જિલ્લાના 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે 75 ગાયનું દાન આપવાના કાર્યક્રમમાં રાજ્યપાલે આ મુજબ જણાવ્યુ હતું. તેમણે પર્યાવરણ અને જમીન માટે પ્રાકૃતિક ખેતી કેવી રીતે ઉપયોગી છે તેની માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે, સવજીભાઈ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગાયનું દાન તથા 100 સરોવરના નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
