નવસારી : નેશનલ હાઇવે નં.48 નો ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમે હાથ ધર્યું
Live TV
-
નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 નો કેટલોક હિસ્સો વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો.
આ ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમે હાથ ધર્યું છે. વરસાદ ઓછો થતાં પેચવર્ક અને જરૂરી રીપેરીંગની કામગીરી વિવિધ એજન્સીઓ દ્વારા કરાઈ છે. એજન્સીઓની કામગીરી બાદ હાઇવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
