પોરબંદરના માછીમારોને ફીશરીઝ વિભાગ દ્વારા અપાઈ સહાય
Live TV
-
ચોમાસું આવતા માછીમારીની સીઝન પુરી થઇ ગઇ છે. માછીમારી કરવા ગયેલી બોટો પોરબંદરના બંદર પર લાંગરી દેવામાં આવી છે. ત્યારે ફીશરીઝ વિભાગ દ્વારા ગત વર્ષમાં જુદી જુદી યોજનાઓ દ્વારા માછીમારોને અપાયેલી રૂ.62 કરોડની સહાય અંગે માહિતી આપવામાં આવી હતી. જેના લીધે માછીમારોને પોતાનો વ્યવસાય કરવામાં ખૂબ જ મદદ મળી હતી.
1 વર્ષ 2024-25 દરમિયાન વિવિધ મત્સયોદ્યોગ યોજનાઓમાં માછીમારોને સબસીડી આપવામાં આવી છે. જેમાં એન્જિન ઉપર સબસીડી લાઇફ સેવિંગ્સ એટલે કે લાઈફ જેકેટ લેવા માટે સબસીડી આપવામાં આવી છે. આમ કુલ લગભગ 8 થી 10 પ્રકારની અલગ અલગ સબસીડીઓ માછીમારોને આપવામાં આવી છે. કુલ લગભગ 800 માછીમારોને આપણે સબસીડી આપવામાં આવી છે. જેની પાછળ લગભગ રૂપિયા 10 કરોડ જેટલો ખર્ચો કરવામાં છે. તે ઉપરાંત માછીમારી માટેની જે મોટી બોટ છે એને ડીઝલ સબસીડી આપવામાં આવે છે. જે ગત નાણાકીય વર્ષમાં 1,700 જેટલા માછીમારોને આપવામાં આવી હતી. જેમાં લગભગ કુલ રૂપિયા 50 કરોડ ખર્ચ થયેલ છે. તે સિવાય નાના માછીમારો કે જે નાના પીલાણા ચલાવે છે એ પીલાણામાં જરૂરી એવા પેટ્રોલ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. આવા 2,500 જેટલા પીલાણા ધારકોને લગભગ રૂપિયા બે કરોડ જેટલી પેટ્રોલ સબસીડી આપવામાં આવી છે. આમ ગત નાણાકીય વર્ષમાં લગભગ 4,900 જેટલા માછીમારોને લગભગ રૂપિયા 62 કરોડ જેવો નાણાકીય લાભ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, માછીમારીનો વ્યવસાય પોરબંદરના અર્થતંત્રની કરોડરજજુ સમાન છે અને આ વ્યવસાય વધુમાં વધુ વિકસે તે માટે સરકાર દ્વારા અહીંના માછીમારોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવે છે.