પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ બેઠકની અધ્યક્ષતા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું:
"ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની એક બેઠકની અધ્યક્ષતા કરી. અમે યાત્રિકોના અનુભવને વધુ ઉમદા બનાવવા અને વિવિધ સુવિધાઓને વધુ બહેતર બનાવવા અંગે ચર્ચા-વિચારણા કર્યાં."
