Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી, સુવિધાઓ સુધારવાની રીતોની સમીક્ષા કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ભક્તોના અનુભવ અને વિવિધ સુવિધાઓમાં વધુ સુધારો કરવાની રીતોની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલયે સોમવારે આ જાણકારી આપી.

    પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, આ ટ્રસ્ટ રાજ્યમાં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની કામગીરી સંભાળે છે. વડાપ્રધાન મોદી આ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. જણાવવામાં આવ્યું છે કે રવિવારે રાત્રે રાજભવનમાં આ બેઠક યોજાઈ હતી અને વડાપ્રધાને ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

    પીએમ મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, “ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી. અમે તીર્થયાત્રીઓના અનુભવને વધારવા અને વિવિધ સુવિધાઓને વધુ બહેતર બનાવવાની રીતો પર ચર્ચા કરી."

    આ બેઠકમાં ગુજરાતના ભૂતપૂર્વ અમલદાર પીકે લહેરી અને વેપારી હર્ષવર્ધન નેવટિયા પણ હાજર હતા, જેઓ ટ્રસ્ટી પણ છે. જાન્યુઆરી 2001માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ પીએમ મોદીને આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply