ફરતી પશુ એમ્બ્યુલન્સ માટેની 1962 ટોલ ફ્રી સેવા આજથી રાજકોટમાં શરૂ
Live TV
-
આ ફરતી એમ્બ્યુલન્સ દસ ગામો વચ્ચે કામ કરશે અને તેનાથી હવે પશુઓની સારવાર ઝડપી બનાવી શકાશે.
108 બાદ રાજકોટ શહેરમાં 1962 ટોલ ફ્રી સેવા આજરોજથી શરૂ કરવામાં આવી છે. પશુઓને થતા તમામ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે.
પશુઓને કેન્સરથી માંડી અનેક પ્રકારના રોગો થતા હોઈ છે ત્યારે પશુઓને ઝડપથી સારવાર મળી રહે તે હેતુથી આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ તમામ ધારાસભ્યો દ્વારા એમ્બ્યુલન્સને ગ્રીન સિગ્નલ આપવામા આવ્યું હતું.
