બજેટમાં ડેરી ફાર્મ અને પશુપાલન માટે 81 કરોડની જોગવાઇ
Live TV
-
ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી
ગુજરાત વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર ગૃહમાં રજુ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વિધાનસભામાં 76 બજેટ રજૂ થયા છે અને આજે 77મું બજેટ રજૂ થઈ રહ્યું છે અને આ બજેટ 2,27,029 કરોડનું છે. તેમજ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સરકારે તે માટે મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે.
ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે રૂ. 81 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તથા 10 ગામદીઠ 1 ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી. મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. 20 કરોડની જોગવાઈ, રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. 20 કરોડની જોગવાઈ, કરુણા એનિમલ એમ્બુલન્સ-૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂ. 7 કરોડની જોગવાઈ, દુધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.