બનાસકાંઠામાં અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે દરોડા પાડી ધાનેરામાંથી શંકાસ્પદ 703 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો
Live TV
-
બનાસકાંઠામાં અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે દરોડા પાડી ધાનેરામાંથી શંકાસ્પદ 703 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ખાનગી કંપનીનું સ્ટિકર લગાવીને શંકાસ્પદ ઘી બજારમાં વેચવા મુકવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
જોકે, અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે અંદાજે 91 હજાર રૂપિયાનો માલસામાન જપ્ત કર્યો હોવાના અહેવાલ છે. આ અંગે ગાંધીનગર વિજિલન્સની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી વધુતપાસ હાથ ધરી છે
