Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠામાં થશે 25 હજાર રિચાર્જ કૂવાનું નિર્માણ, મુખ્યમંત્રીએ કરાવ્યો જળ સંચય કાર્યનો શુભારંભ

Live TV

X
  • બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા જળ સંચય કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો

    બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા જળ સંચય કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી.આર. પાટીલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.  

    દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામે આ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના 'જળશક્તિ કેચ ધ રેન -2025 ' અભિયાન અંતર્ગત, જળ સંચય જનભાગીદારી હેઠળ બનાસકાંઠા જિલ્લામાં જળ સંચયનું કામ થશે. જેમાં 25 હજાર રિચાર્જ  કૂવાનું બનાસ ડેરી દ્વારા નિર્માણ કરવામાં આવશે. ખેતરોમાં આવા રિચાર્જ કુવા બનાવીને ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને તે ભૂગર્ભમાં ઉતરવામાં આવશે. આ અભિયાનનો હેતું ભૂર્ગભ જળનું સ્તર ઉંચુ લાવવા માટેનો છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
apply