'ભારત બચાવો' ની યાત્રા 'હમ સબકે દો'ના ઉદ્દેશ્ય સાથે દ્વારકા પહોંચી
Live TV
-
'હમ દો ,હમારે દો' નહીં પરંતુ 'હમ સબકે દો', આ ઉદેશ અંતર્ગત કેટલાક ધર્મ સંગઠન દ્વારા ભારત બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
'હમ દો ,હમારે દો' નહીં પરંતુ 'હમ સબકે દો', આ ઉદેશ અંતર્ગત કેટલાક ધર્મ સંગઠન દ્વારા ભારત બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 51 દિવસ પહેલા શરૂ થયેલી આ યાત્રા સોમવારે કૃષ્ણનગરી દ્વારકા પહોંચી હતી. આ યાત્રામાં મુખ્યત્વે પરિવાર નિયોજનની માગણી કરવામાં આવી રહી છે.
યાત્રામાં લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે પરિવાર નિયોજનનો નિયમ હિંદુ, શીખ, ઇસાઈ, મુસ્લિમ બધા જ માટે સમાન હોવો જોઇએ અને આ માટે એક સમાન કાયદો ઘડાવવો જોઇએ. દ્વારકામાં પહોંચેલી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રા અંતર્ગત જ ધર્મસભા પણ યોજાઈ હતી. ધર્મસભામાં શંકરાચાર્યના પ્રિય શિષ્ય બ્રહ્મચારી, નારાયણ નંદજી ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભાનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો.
