મુખ્યમંત્રીએ 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજનાનો શુભારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા ખાતેથી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપતી 'નમો લક્ષ્મી' તેમજ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. અંદાજિત 1500 કરોડ રૂ. ની યોજનાઓથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહેશે.
રાજ્યની કન્યાઓને ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરવાનું પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે તેમજ અને ધોરણ 11 - 12માં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
