રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, શ્રમિકોના માસિક વેતનમાં કર્યો વધારો
Live TV
-
રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન રૂ.11,466થી વધીને ખાસ ભથ્થા સાથે વેતન રૂ.12,012 થશે. આ વધારાથી રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે. શ્રમિકોના હિતો અને કલ્યાણને વરેલી રાજ્ય સરકારે ચાલુ વર્ષે બજેટ સત્ર દરમિયાન વર્ષ-2023માં શ્રમિકોના લઘુત્તમ વેતનમાં 25 ટકા જેટલો માતબર વધારો કર્યો હતો. હવે, માસિક રૂ.546નું ખાસ ભથ્થુ તેમના વેતનમાં આપવામાં આવશે. રાજ્યના ઝોન-૧ અને ઝોન-૨ના કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ કેટેગરીનાં તમામ શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે દૈનિક રૂ.21 આપવામાં આવશે, જે તા.1 ઓક્ટોબર 2023થી તા.31મી માર્ચ 2024 સુધી અમલમાં રહેશે.
