વન- પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ન - નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો
Live TV
-
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ સ્વર્ણિમ સંકુલ-1, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
આ ઉપરાંત કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાએ તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી. બરંડાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો તે પ્રસંગે વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
