સુરતઃ કતારગામ વિસ્તારમાં 4 લોકોના અપહરણ બાદ રૂપિયા 1.04 કરોડની લૂંટ
Live TV
-
સુરત શહેરના કતારગામ પોલીસ મથકથી માત્ર 500 મીટરના અંતરે આવેલ બાળાશ્રમ પાસેથી ગતરોજ અપહરણની ઘટના બની હતી.
સુરત શહેરના કતારગામ પોલીસ મથકથી માત્ર 500 મીટરના અંતરે આવેલ બાળાશ્રમ પાસેથી ગતરોજ અપહરણની ઘટના બની હતી. એક વ્યક્તિએ નકલી ઇન્કમટેક્સ અધિકારી તરીકે દમદાટી આપી કારમાં રૂપિયા લઈ સવાર ચાર લોકોનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું. જોકે બાદમાં આ યુવકે આગળ જઈ ચારેય લોકોને કારમાંથી ઉતારી દઈ રોકડા રૂપિયા ભરેલી કાર સાથે રફુચક્કર થઈ ગયો હતો. ત્યારે આ બનાવમાં પોલીસની ટીમને ગઈકાલે ઓલપાડના કનાદ કેનાલ રોડ પર આ કાર બિનવારસી હાલતમાં મળી આવી છે.
ઘટનાનો ભોગ બનેલ કિશોરભાઈએ કતારગામ પોલીસ મથકમાં રૂપિયા એક કરોડ રોકડા અને કાર સહિત રૂપિયા 1.04 કરોડની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે ડીસીપી પિનાકીન પરમારે વધુ માહિતી આપી હતી.
