અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત
Live TV
-
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. તાલિબાને પાકિસ્તાનના આ હવાઈ હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. તાલિબાન દળોએ પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી ભારે બોમ્બમારો અને ગોળીબાર કર્યો હતો.
શનિવારે ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલા હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા બાદ આ હુમલા કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, રાતભરના દરોડા બાદ સોમવારે ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે તણાવ ઊભો થયો હતો.
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં "ઈન્ટેલિજન્સ-આધારિત એન્ટી-ટેરરિસ્ટ ઓપરેશન્સ" હાથ ધરવાનું સ્વીકાર્યું છે. પાકિસ્તાને કહ્યું કે આ હુમલામાં સરહદી વિસ્તારોમાં છુપાયેલા સશસ્ત્ર જૂથોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 2021માં તાલિબાનોએ દેશ પર ફરીથી કબજો મેળવ્યો ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
