અમેરિકામાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાના કારણે અત્યાર સુધી 31 લોકોના મૃત્યુ
Live TV
-
અમેરિકામાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાના કારણે અત્યાર સુધી 31 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 6 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ છે.
અમેરિકામાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાના કારણે અત્યાર સુધી 31 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 6 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ છે. ભારે પવન ફૂંકાવાના કારણે અનેક વૃક્ષોને નુકસાન થયું છે. તો ઈમારતો પણ ક્ષતિગ્રસ્ત બની છે. સાઉથ અમેરિકા અને મિડવેસ્ટર્ન વિસ્તારમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી છે. જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થયું ત્યાં વિનાશ વેર્યો છે. વાવાઝોડા બાદની સ્થિતિ પર રાષ્ટ્રપતિ જો બાઈડન નજર રાખી રહ્યાં છે. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે, અમે પરિસ્થિતિનું મુલ્યાંકન કરી રહ્યાં છીએ, પ્રભાવિત વિસ્તારોમાં સંભવિત તમામ મદદ પહોંચાડવી અમારી પ્રાથમિકતા છે.
