અમેરિકામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો
Live TV
-
આ ઘટના પછી ભારતે વિરોધ દર્શાવ્યો હતો
લંડનમાં ભારતીય હાઈ કમિશનર હુમલા પછી હવે અમેરિકામાં પણ આવી જ ઘટના બની હતી.અહીં સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો. આ ઘટના પછી ભારતે વિરોધ દર્શાવ્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, અમેરિકી રાજ દૂતાવાસના પ્રભારી અધિકારીની સાથે બેઠકમાં તેમની જવાબદારી યાદ કરાવવામાં આવી હતી.રાજદ્વારી પ્રતિનિધિત્વનું રક્ષણ અને સંરક્ષણ અમેરિકી સરકારની મહત્વની જવાબદારી છે.સાથે જ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મામલે એવા પગલાં ઉઠાવવામાં આવે કે, ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને.વિદેશ મંત્રાલયના મતે, વોશિંગ્ટનમાં ભારતીય રાજ દૂતાવાસે અમેરિકાના વિદેશ વિભાગને ચિંતાઓથી અવગત કરાવ્યા હતા. સેન ફ્રાન્સિસ્કોમાં ચરમપંથી સમર્થકોના એક સમૂહે ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસના ભવન પર હુમલો કર્યો હતો. અમેરિકાએ પણ આ હુમલાની ટીકા કરી હતી.
