આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે શાંઘાઈમાં યોજાયું પ્રદર્શન
Live TV
-
આ પ્રદર્શનમાં ભાગ લેતા 40થી વધુ દેશોએ જાડા ધાન્યના આહારની પ્રશંસા કરી
શાંઘાઈમાં આંતરરાષ્ટ્રીય જાડા અનાજ વર્ષ પર આયોજિત પ્રદર્શનમાં ભાગ લઇ રહેલા 40થી વધુ દેશોએ જાડા ધાન્યથી તૈયાર કરવામાં આવેલા આહારની પ્રશંસા કરી છે. આ પ્રદર્શનનું આયોજન ભારતીય વાણિજય દુતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં સ્થાનિક લોકો સહિત અનેક રાજદ્વારી પણ સામેલ થયા હતા અને તેમણે આ પહેલ માટે ભારતનો આભાર વ્યકત કર્યો હતો. શાંઘાઇમાં ભારતના મહાવાણિજય રાજદુત ડોકટર નંદ કુમારે આ પ્રસંગે 300થી વધુ રાજનાયકો અને ચીનના શિક્ષણવિદોને સંબોધિત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોષણ સુરક્ષા, વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ખેડુતોની આજીવિકા અને જાડા ધાન્યની ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના તૈયાર કરી છે. તેમણે કહયું કે ભારત વિશ્વમાં મોટા અનાજના ઉત્પાદનમાં એક મોટો ઉત્પાદક દેશ છે.
