નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરઝૂ રાણા દેઉબા આજથી પાંચ દિવસ ભારતની મુલાકાતે
Live TV
-
નેપાળના વિદેશ મંત્રી ડો. આરઝુ રાણા દેઉબા આજે પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે ભારત પહોંચી રહ્યા છે. તેમની આ મુલાકાતમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના આમંત્રણ પર થઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત નેબર ફર્સ્ટ પોલિસી હેઠળ નેપાળ સાથે નિયમિત વાતચીત કરે છે અને સુશ્રી દેઉબાની મુલાકાત બંને દેશોને પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવવાની તક પૂરી પાડશે.
નેપાળના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ડૉ. આરઝૂ રાણા દેઉબા વિદેશ મંત્રી ડૉ. જયશંકર સાથે મુલાકાત કરશે.
