Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશ: દુર્ગા પૂજા પહેલા મંદિરમાં તોડફોડ

Live TV

X
  • બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પર હુમલા યથાવત. અહેવાલ મુજબ જમાલપુર જિલ્લાના સરીશાબારી ઉપ-જિલ્લામાં એક હિન્દુ મંદિરમાં દુર્ગા પૂજા પહેલા બનાવેલી સાત મૂર્તિઓ તોડફોડ કરવામાં આવી હતી. શનિવારે રાત્રે મ્યુનિસિપલ તાર્યાપરા મંદિરમાં આ ઘટના બની હતી. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ માટે સૌથી મોટા ધાર્મિક તહેવાર, દુર્ગા પૂજા ઉત્સવના એક અઠવાડિયા પહેલા આવો બીજો હુમલો થયો છે.

    ઘટનાની પુષ્ટિ કરતા, સરીશાબારી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રશીદુલ હસને જણાવ્યું હતું કે, "માહિતી મળ્યા બાદ અમે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઘટના માટે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે." પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ શિમલાપલ્લી ગામના રહેવાસી 35 વર્ષીય હબીબુર રહેમાન તરીકે થઈ છે.

    પોલીસ અને મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે કારીગરો ગયા પછી આગામી દુર્ગા પૂજા માટે બનાવેલી મૂર્તિઓ મંદિરમાં તોડી નાખવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મૂર્તિઓના માથા અને અન્ય ભાગો તોડી નાખ્યા હતા.

    અહેવાલ મુજબ, મંદિર સમિતિના સભ્યોને રવિવારે સવારે મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત મળી આવી હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી, જેમણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા પછી હબીબુરની ધરપકડ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply