સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સર્વદળીય પ્રતિનિધિ મંડળ કુવૈત પહોંચ્યું
Live TV
-
ઓપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતની નિરંતર લડાઈને કરાશે પ્રદર્શિત. ઓવૈસી સહિતના સાંસદો આ પ્રતિનિધિ મંડળમાં સામેલ છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા બૈજયંત જય પાંડાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ બહેરીનની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સોમવારે કુવૈત પહોંચ્યું હતું. આ બે દિવસની મુલાકાત 'ઓપરેશન સિંદૂર'નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ પર ભાર મૂકવાનો છે.
આતંકવાદ સામે ભારતના કડક સંદેશ સાથે પ્રતિનિધિમંડળ પહોંચ્યું
કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ એરપોર્ટ પર બૈજયંત પાંડાના નેતૃત્વમાં આઠ સભ્યોના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે, "બૈજયંત પાંડાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ કુવૈત પહોંચ્યું, જે આતંકવાદ સામે ભારતનો મજબૂત સંદેશ લઈને પહોંચ્યું છે."
"આતંકવાદ સામેની લડાઈમાં એકતા દર્શાવવા બદલ બહેરીનનો આભાર"
અગાઉ, કુવૈતમાં ભારતીય દૂતાવાસે અન્ય એક X પોસ્ટમાં લખ્યું કે, “પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર, આતંકવાદ સામે લડાઈ, ક્યારેય ભૂલશો નહીં ક્યારેય માફ કરશો નહીં.” બહેરીનમાં ભારતીય દૂતાવાસે એક X પોસ્ટમાં લખ્યું કે, "બૈજયંત પાંડાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે બહેરીનની સફળ મુલાકાત પૂર્ણ કરી હતી. આતંકવાદ સામેની લડાઈમાં એકતા દર્શાવવા બદલ ભારત તેના મિત્ર બહેરીનનો આભાર માને છે."
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં વિવિધ પક્ષોના સાંસદો પણ ગયા
આ પોસ્ટ ભાજપ નેતા પાંડાએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર પણ શેર કરી હતી. બૈજયંત જય પાંડાની આગેવાની હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે, ભાજપના સાંસદ ફાંગન કોન્યાક, ભાજપ સાંસદ રેખા શર્મા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, ભાજપના સાંસદ સતનામસિંહ સંધુ, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામનબી આઝાદ અને ભારતીય રાજદ્વારી શખ્શ શૈશવનો સમાવેશ થાય છે.
અગાઉ તેમની મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળે બહેરીનના લોકોના વિવિધ વર્ગો સાથે વાતચીત કરી હતી અને તેમને 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતના પ્રતિભાવ અને સરહદ પારના આતંકવાદ સામેની તેની વ્યાપક લડાઈ વિશે માહિતી આપી હતી.
ભારત અને બહેરીન વચ્ચે ગાઢ ભાગીદારી
ભાજપના નેતા બૈજયંત પાંડાએ રવિવારે X પર એક પોસ્ટમાં લખ્યું કે, " ભારતની સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વની ભાવના કિંગ હમાદ ગ્લોબલ સેન્ટર ફોર કોએક્સિસટેન્સ એન્ડ ટોલરન્સમાં અમારી ચર્ચાનું કેન્દ્ર હતું. અમે મજબૂત ભારત-બહેરીન સંબંધોને વધુ મજબૂત બનાવવા પર મંતવ્યો શેર કર્યા." તેમણે બીજી પોસ્ટમાં કહ્યું કે, "ભારત અને બહેરીન વચ્ચે ગાઢ ભાગીદારી છે. બહેરીનના પ્રથમ નાયબ અધ્યક્ષ અબ્દુલ નબી સલમાન અહેમદ સાથે, અમે સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો અને આતંકવાદ સામે ભારતના મજબૂત વલણ પર ચર્ચા કરી,"
પ્રતિનિધિમંડળે બહેરીનના નાયબ PMને મળ્યા અને આતંકવાદ સામે ભારતની નીતિ અંગે ચર્ચા કરી
ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે, પ્રતિનિધિમંડળે બહેરીનના નાયબ વડાપ્રધાન શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફાને મળ્યા હતા અને ઓપરેશન સિંદૂરના મહત્ત્વ અને સરહદ પારના આતંકવાદ સામે ભારતની નીતિ અંગે ચર્ચા કરી હતી. ભારતીય દૂતાવાસે એક અખબારી નિવેદનમાં કહ્યું હતું કે, "પ્રતિનિધિમંડળે શૂરા કાઉન્સિલના અધ્યક્ષ અલી બિન સાલેહ અલ સાલેહ અને પ્રતિનિધિ પરિષદના પ્રથમ નાયબ અધ્યક્ષ અબ્દુલ નબી સલમાન અહેમદને પણ માહિતી આપી હતી. પ્રતિનિધિમંડળે 22 એપ્રિલે કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા બર્બર આતંકવાદી હુમલા સામે શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પર પ્રકાશ પાડ્યો હતો."
પ્રતિનિધિમંડળના સાત જૂથો સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન, અલ્જેરિયા, યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી, ડેનમાર્ક, ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા, જાપાન, સિંગાપોર, યુએઈ, લાઇબેરિયા, કોંગો, સિએરા લિયોન, યુએસ, પનામા, ગુયાના, બ્રાઝિલ, કોલંબિયા, સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા, રશિયા, ઇજિપ્ત, કતાર, ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લઈ રહ્યા છે
