Submitted by gujaratdesk on
રાજધાની દિલ્હી સહિત દેશના ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં આંધી, તૂફાનથી 40થી વધુ લોકોના મોત- દિલ્હીથી ટેક ઓફ થતી અનેક ડોમેસ્ટિક ફ્લાઇટ્સના રૂટ બદલાયા - રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ કુદરતી આપદા પર વ્યક્ત કરી સંવેદના. 2. આવકવેરા વિભાગ દ્વારા પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ તથા તેમના પરિવારજનો પર ચાર આરોપ પત્ર બાદ કોંગ્રેસ પર ભાજપાએ સાધુ નિશાન - કહ્યું કાળા ધનના કારણે જ કોંગ્રેસે દ્વારા સીટની રચના કરાઈ નહીં - પી. ચિદમ્બરમે આરોપોને નકાર્યા 3. મુંબઈ હુમલાને લઈ પાકિસ્તાની પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના સનસનીખેજ નિવેદન બાદ પાક સૈન્ય દ્વારા આજે ઉચ્ચ સ્તરીય બેઠક 4. જળસંચય અભિયાનમાં પાણીના સંગ્રહ સાથે કુદરતી સ્રોતોનો તૂટો ન પડે તેવો પ્રયત્ન જરૂરી હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - સુરેન્દ્રનગરમાં સૂરસાગર ડેરી પ્લાન્ટનું ઉદઘાટન તથા સી. યુ. શાહ મેડિકલ હોસ્પિટલનું લોકાર્પણ 5. પહાડી વિસ્તારના ઢોળાવ અને ડુંગરા પરથી વહી જતા પાણીને સાચવવા વલસાડમાં કન્ટુર ટ્રેન્ચ જળ અભિયાનની વિશેષ પદ્ધતિનો ઉપયોગ - નાના ખાડામાં ભરાઈ રહેતા પાણીથી ઊંચુ આવશે જળસ્તર. 6. મનરેગા યોજના દ્વારા રોજગારી મેળવતા શ્રમિકોને સુજલામ્ સુફલામ્ યોજનાએ આપી રાહત - જૂનાગઢના બંટીયા અને ડુંગળી ગામે થઈ રહેલા માનવ યજ્ઞમાં 237 જગ્યાઓએ કામ કરતાં મજૂરોમાં આનંદ