અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીનું આજે મુંબઈમાં જલાવતરણ કરવામાં આવ્યું
Live TV
-
આ અવસરે ખાસ મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની ડોક્ટર સુદેશ ધનખડ હાજર રહ્યા.
અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે મુંબઈમાં જલાવતરણ કરવામાં આવ્યું. આ અવસરે ખાસ મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની ડોક્ટર સુદેશ ધનખડ હાજર રહ્યા. સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય નૌસેનાએ દરેક મુશ્કેલ ક્ષણમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતિક છે અને ચારેબાજુ દેશની યશગાથા ગાવામાં આવી રહી છે. આ યુદ્ધ જહાજના નિર્માણમાં MSIએ મુખ્ય ભૂમિકા ભજવી છે. સાથે જ તેઓએ આ ક્ષેત્રે જોડાયેલી મહિલાઓની પણ પ્રશંસા કરી. તેમણે હિંદ-પ્રશાંત મહાસાગરમાં નિયમ આધારિત પ્રાદેશિક પ્રણાલીને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન પહેલીવાર એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી નેવલ હેરિટેજ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતા સાથે બનાવવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજનું નામ ઓડિશાના પૂર્વ ઘાટમાં આવેલ પર્વત શિખર મહેન્દ્રગિરી પરથી રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-17A હેઠળ ભારતીય નૌકાદળનું આ 7મું સ્ટીલ્થ યુદ્ધ જહાજ છે.
