Skip to main content
Settings Settings for Dark

અમરનાથ યાત્રાનો શુભારંભ, સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનું બીજુ જૂથ રવાના

Live TV

X
  • અમરનાથ યાત્રાના શુભારંભ સાથે તીર્થયાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે કરવામાં આવી જરૂરી તૈયારીઓ.

    36 દિવસની અમરનાથ યાત્રા માટે ગુરુવારે જમ્મુથી યાત્રાળુઓનો બીજુ જૂથ રવાના થયું. બીજા જૂથમાં 5246 યાત્રાળુઓનો સમાવેશ થાય છે, જેમને કડક સુરક્ષા વચ્ચે જમ્મુના કેનાલ રોડ પર આવેલા ભગવતી નગરથી ખીણમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યાત્રાળુઓમાંથી 1993 યાત્રાળુઓ બાલતાલ બેઝ કેમ્પ જઈ રહ્યા છે, જ્યારે 3253 પહેલગામ બેઝ કેમ્પ જઈ રહ્યા છે. 

    યાત્રાળુઓ 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ' ના નારા લગાવતા આગળ વધ્યા. યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો. તેમણે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી. યાત્રાળુઓએ ભારતીય સેનામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો.

    શ્રદ્ધાળુઓએ કહ્યું કે સેનાના જવાનો અમને ખૂબ સારી રીતે ભગવતી નગર લઈ ગયા. કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓ ખૂબ સારી છે. બીજા જૂથમાં કેટલાક યાત્રાળુઓ છે જે પહેલીવાર અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છે. તેમણે સુરક્ષાની સાથે અહીંની સુવિધાઓની પણ પ્રશંસા કરી.

    યાત્રાળુઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ જમ્મુથી ખીણમાં ફક્ત સુરક્ષા કાફલા સાથે મુસાફરી કરે અને એકલા ન જાય. અમરનાથ યાત્રા 36 દિવસ સુધી ચાલશે અને આ વખતે તે 9 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply