આજથી દિલ્લીમાં નેવીના કમાન્ડરોનું ત્રિદિવસીય સંમેલન, સંરક્ષણ મંત્રી રાજથનાસિંહ સંમેલનમાં કરશે સંબોધન
Live TV
-
સંયુક્ત યોજના, સંરચના, થ્રી સેવા સેનર્જી, કાર્યાત્મક પુનઃગઠન અને પરિચાલન પર ચર્ચા
વર્ષ 2020 માટેનું નૌકાદળના કમાન્ડરનું ત્રિદિવસીય સંમેલન આજથી નવી દિલ્હીમાં શરૂ થવા જઇ રહ્યું છે. નૌકાદળના ટોચના કમાન્ડર્સ સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં ટોચના કમાન્ડર્સ વર્ષ દરમિયાન થનારા મુખ્ય સંચાલન, કાર્યો , લોજીસ્ટીક બાબતો, વહીવટી અને માનવ સંસાધનને મુદ્દે ચર્ચા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ સંમેલનમાં ભાગ લઇને તેને સંબોધન કરશે. તાજેતરમાં સરહદે એલએસી પર ચાલી રહેલી તંગદીલીની મધ્યેનજર પણ આ સંમેલન મહત્વનું બની જાય છે. આ સંમેલન કોરોના માહામારીના પડકારો વચ્ચે નૌકાદળના સંચાલનને મુદ્દે ચર્ચા કરવાની તક પુરી પાડશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણુક પછી પહેલીવાર નૌકાદળ કમાન્ડર્સ સંમેલન મળી રહ્યું છે.