આજે ભારત-જાપાન શિખર સંમેલન, ચીન સામે મજબૂત કૂટનીતિ ઘડવા પર ચર્ચા થશે
Live TV
-
નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચી ભારત સાથેના ગાઢ વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા માટે આજે બુધવારે ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. ૧ થી ૩ જુલાઈ દરમિયાન યોજાનાર ૧૬મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં તેઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવેલા પીએમ તાકાઈચીનો પદ સંભાળ્યા બાદ આ પ્રથમ ભારત પ્રવાસ છે.
નવી દિલ્હી: જાપાનના પ્રધાનમંત્રી સાનાએ તાકાઈચી ભારત સાથેના ગાઢ વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા માટે આજે બુધવારે ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. 1થી 3 જુલાઈ દરમિયાન યોજાનાર 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં તેઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવેલા પીએમ તાકાઈચીનો પદ સંભાળ્યા બાદ આ પ્રથમ ભારત પ્રવાસ છે.
શિખર સંમેલનના મુખ્ય મુદ્દાઓ
વિદેશ મંત્રાલય (MEA) ના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બંને દેશો વચ્ચેના 'સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ'ને નવી ઊંચાઈઓ પર લઈ જવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શિખર સંમેલન દરમિયાન નીચે મુજબના ક્ષેત્રો પર વિશેષ ચર્ચા થવાની સંભાવના છે:
-
દ્વિપક્ષીય સંબંધો: વેપાર, રોકાણ અને આર્થિક સુરક્ષાના ક્ષેત્રોમાં સહયોગ વધારવો.
-
વ્યૂહાત્મક ભાગીદારી: સુરક્ષા, ઇનોવેશન અને લોકો વચ્ચેના આદાન-પ્રદાનને વધુ વેગ આપવો.
-
ઇન્ડો-પેસિફિક વિઝન: ભારતનું 'એક્ટ-ઇસ્ટ પોલિસી' અને જાપાનનું 'ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક' (FOIP) વિઝન વચ્ચે સુમેળ સાધી પ્રાદેશિક શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી.
અગાઉની બેઠકો:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીએમ તાકાઈચી વચ્ચે ગત 16 જૂનના રોજ ફ્રાન્સમાં G-7 સમિટ દરમિયાન મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી, જેમાં બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સંબંધો ગાઢ બનાવવાની સહમતી દર્શાવી હતી. તે અગાઉ મે મહિનામાં જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ પણ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી અને ભારત-જાપાન ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાત ઓગસ્ટ 2025માં પીએમ મોદીની ટોક્યો મુલાકાત અને તે સમયે જાહેર કરાયેલ 'જાપાન-ભારત જોઈન્ટ વિઝન ફોર નેક્સ્ટ 10 યર્સ'નો તાર્કિક વિસ્તાર છે. ભારત અને જાપાન વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો નવી વૈશ્વિક ભૌગોલિક-રાજનીતિના સમયમાં અત્યંત નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે.
-
