આજે યોજાશે ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર કરશે અધ્યક્ષતા
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે.
ભારત આજે ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકની મેજબાની કરશે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. જેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશમંત્રીઓ ભાગ લેશે. આ બેઠકમાં સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કની બેઠકમાં થયેલ ચર્ચાઓ જાળવી રાખવા માટેની તક મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, તેમાં ભારત-પ્રશાંત ક્ષેત્રના ઘટનાક્રમ અને આપસી હિતના ક્ષેત્રીય મુદ્દાઓ અને ભારત પ્રશાંતના વિઝન પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં શામેલ થયેલ મંત્રી ક્વાડની રચનાત્મક કાર્ય સૂચિ અને ક્ષેત્રની સામયિક પ્રાથમિકતાઓના સમાધાન સાથે જોડાયેલ પહેલ પર થયેલ પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
