ઉત્તરપ્રદેશ અને પંજાબમા આજથી ધોરણ 9 થી 12 માટે કન્ટેઈનમેન્ટ ઝોન બહારની શાળાઓ થશે શરુ
Live TV
-
કોરોનાનો કહેર ઓછો થતા ઉત્તરપ્રદેશ અને પંજાબમા આજથી ધોરણ 9 થી 12 માટે કન્ટેઈનમેન્ટ ઝોન બહારની શાળાઓ શરુ થશે. વિદ્યાર્થીઓને 2 પાળીઓમા સવારે 8.50 થી લઈને બપોરે 3.20 સુધી શિક્ષણ આપાશે. વિદ્યાર્થિઓને શાળાએ ફરજીયાત આવવુ બાધ્ય નથી પણ તેમના માતા- પિતાની સહમતીથી શાળાએ આવી શકશે. 50% વિદ્યાર્થીઓને રોસ્ટર પધ્ધતિથી બોલાવવામા આવશે. રાજ્ય સરકારે શિક્ષણ અધિકારીઓને કોવિડ19ના નિયમોનુ સખ્તીથી પાલન કરવા આદેશ આપ્યો છે. વિદ્યાર્થિઓ અને શિક્ષકો ફરજીયાત માસ્ક પહેરવા, હેન્ડ સેનિટરાઈઝ, સોશિયલ ડિસ્ટસંસનુ પાલન કરવુ ફરજીયાત રહેશે. શાળાઓના વર્ગખંડો તથા વિદ્યાર્થીઓને શાળાએ આવનજાવન માટેની બસોને પણ સેનિટરાઈઝેશન કરવામા આવશે. શાળામા વિદ્યાર્થીઓએ એકબીજાથી 6 ફુટનુ અંતર જાળવવુ ફરજીયાર રહેશે. તો આ બાજુ કોરોના કાળ વચ્ચે મુંબઈમાં છેલ્લા 7 મહિનાથી બંધ પડેલી મેટ્રો રેલ ફરી આજથી શરુ થશે.
