કર્ણાટક વિધાનસભામાં આજે બહુમત પરિક્ષણ
Live TV
-
છેલ્લા ઘણાં સમયથી ચાલતા રાજકીય સંકટનો અંત આવવાની શક્યતા
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંકટની વચ્ચે આજે જેડિએસ, કોંગ્રેસ ગઠબંધન સરકારનું બહુમત પરિક્ષણ થઈ શકે છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ પ્રેસ રીલિઝ રજૂ કરી બળવાખોર ધારાસભ્યોને અપીલ કરી છે કે, તેઓ બહુમત પરિક્ષણમાં સામેલ થઈ લોકતંત્રને મજબૂત કરે. આ વચ્ચે વિશ્વાસ મતને લઈ તમામ રાજકીય પક્ષો પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. રાજ્યમાં રાજકીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં બેંગ્લુરુમાં રવિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં વિશ્વાસ મતને લઈ પક્ષની રણનીતિ પર ચર્ચા થઈ હતી. તેમજ કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.
