કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે
Live TV
-
સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અને ભારતને 45 અબજ ડોલરનું અવકાશ અર્થતંત્ર બનાવવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે. આજે ગુજરાતનાં અમદાવાદમાં ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણીમાં બોલતા તેમણે કહ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં સુધારાઓથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ માટે તકો વધી છે. અવકાશ ટેકનોલોજી ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને ફાયદો કરાવી રહી છે. શ્રી શેખાવતે આ પ્રસંગે ભારતની અવકાશ યાત્રામાં ડૉ. વિક્રમ સારાભાઈના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું.
ઇસરોના અધ્યક્ષ વી. નારાયણન અનેઅવકાશ એપ્લિકેશન કેન્દ્રના ડિરેક્ટર વી. એન. રાવ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
