કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ડેરી ઉદ્યોગ માટે રાષ્ટ્રીય કેસીસી પરિષદની અધ્યક્ષતા કરી
Live TV
-
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે મહારાષ્ટ્રમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે રાષ્ટ્રીય કેસીસી પરિષદની અધ્યક્ષતા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેસીસી એએચડી અને મત્સ્યપાલન એમ બંને પ્રકારના ખેડૂતોને જારી થવા જોઈએ અને પ્રથમ પગલાં સ્વરૂપે તેમને સ્વીકારવા જોઈએ. પરષોત્તમ રૂપાલાએ પાત્ર માછીમારોને કેસીસી કાર્ડનું વિતરણ કર્યું હતું. વર્ચ્યુઅલ વાતચીત પછી લાભાર્થીઓએ કેસીસીનો લાભ લેવાના તેમના અનુભવો શેર કર્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણનાં ઘટકમાં નાણાકીય સર્વસમાવેશકતાનો સમાવેશ થાય છે, તેથી એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સ્થાનિક લેણદાર દ્વારા લાદવામાં આવેલી ઊંચા વ્યાજની લોનને સમગ્ર દેશમાં કેસીસીને પ્રોત્સાહન મારફતે નાબૂદ કરવાની જરૂર છે. એટલે તેમણે તમામ બૅન્કોને આગળ આવવા, તાલીમ આપવા અને ક્ષમતાનું નિર્માણ કરવા અપીલ કરી હતી. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ નિગમે જણાવ્યું હતું કે નાણાકીય સર્વસમાવેશકતા હાંસલ કરવા માટે નાની લોનના ઉપાડમાં વધારો આવશ્યક છે. તેમણે વિચાર-વિમર્શ કર્યો હતો કે બૅન્કોએ આરબીઆઈ કેસીસી માર્ગદર્શિકાનું પાલન કરવાની જરૂર છે, વધુમાં, બૅન્ક કર્મચારીઓને નાણાકીય સાક્ષરતામાં તાલીમ આપવામાં આવી શકે છે અને અભિયાન આખું વર્ષ થવું જોઈએ, પ્રોસેસિંગ સમયરેખાનું પાલન કરવું જોઈએ જ્યારે બૅન્કો દ્વારા સ્થિતિ સંબંધિત માહિતી આપવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, મોનિટરિંગને ગંભીરતાથી લેવું જોઈએ અને તેને નીચલાં સ્તરે એટલે કે બ્લોક અને જિલ્લા સ્તરે થવું જોઈએ, જેથી રાજ્ય સ્તરે મુદ્દાઓને વધુ ઉજાગર કરી શકાય.
કુલ 80,000 સહભાગીઓ ભૌતિક અને વર્ચ્યુઅલ મોડ્સ દ્વારા જોડાયા હતા, 35 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો 21,000 મત્સ્યપાલન અને મત્સ્યપાલકો સાથે 370 સ્થળોએથી જોડાયા હતા, 9000 લોકો શારીરિક રીતે અને વર્ચ્યુઅલ મોડ મારફતે જોડાયા હતા જ્યારે 50,000 એએચડી ખેડૂતો 1000 કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)નાં માધ્યમથી જોડાયા હતા. માર્ગદર્શિકા/એસઓપી પર 7 સ્થાનિક ભાષાઓમાં આઉટડોર અભિયાન અને પ્રચાર સામગ્રીના ભાગરૂપે ડિજિટલ, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા મારફતે આશરે 22 લાખ લોકો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મત્સ્યપાલન માટે કેસીસી સુવિધા પર વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સમાપન એનએફડીબીના સીઈ એલ એન મૂર્તિ દ્વારા આભારવિધિ સાથે થયું હતું.
